બોરતળવ પોલીસ સ્ટેશનના જાનથી મારી નાખવાની ધમકીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબઇન્સ. શ્રી આર.વી.ભીમાણી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો બોરતળાવ પો.સ્ટે. વિસ્તાનરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ. એમ.પી.ગોહીલને બાતમી રાહે હકીકત મળેલ કે, બોરતળાવ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૮૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ નાગજીભાઇ ભાતીયા રહે.કુંભારવાડા, અમર સોસાયટી,ભાવનગર વાળા સફેદ કળરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરીને કુંભારવાડા શીતળા માતાજીની દેરી પાસે ઉભેલ છે. તેવી હકીકત મળતા તુર્તજ ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા કુંભારવાડા શીતળા માતાજીની દેરી પાસે આવતા ઉપરોક્ત વર્ણનના કપડા પહેરેલ એક ઇસમ જોવામાં આવતા તેનુ નામઠામ પુછતા રમેશભાઇ નાગજીભાઇ ભાતીયા ઉ.વ.૬૩ ધંધો નિવૃત રહે.કુંભારવાડા, અમર સોસાયટી, ભાવનગર વાળા હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે બોરતળાવ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૮૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૫૦૪,૫૦૬(૨) વિ. મુજબનો ગુન્હો નોંધાયેલ હોય મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બોરતળાવ પો.સ્ટે. જી.ભાવનગરને સોપી આપેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી. બી. પો.સ.ઇ. એન.જી. જાડેજા સાહેબ ની તથા પો.સ.ઇ. શ્રી આર.વી.ભીમાણી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર.આહિર તથા એમ.પી.ગોહિલ તથા વી.બી.ખુમાણ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા તથા હારીત સિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
